હું શોધું છું

હોમ  |

પરિચય (પોલીસ અધિક્ષકશ્રીની કચેરી)
Rating :  Star Star Star Star Star   

પરીચય 

જૂનાગઢ જિલ્લા પોલીસ દળ આપનું હાર્દિક સ્વાગત કરે છે.

' પોલીસ પ્રજાનો મિત્ર છે'

  • આ જિલ્લો નૈસર્ગિક સમૃદ્ધિનો ભંડાર.......
  • ગીરનાં જંગલો, ડુંગરાળ પ્રદેશ, વનરાજીથી શોભતો સોરઠ........
  • વહેતી નદીઓના ખળખળાટ અને ઝરણાઓથી કલરવ કરતો લીલોતરી પ્રદેશ....
  • વિશ્વ વિખ્યાત ગીરના વનરાજ કેસરી સિંહની ડણક......
  • મનુષ્યનો મેળાવડાનો સંગમ એટલે મહાશિવરાત્રી......
  • સંપૂર્ણ યાત્રાઓનું પુણ્ય એટલે ગિરનારની 'પરિક્રમા'
  • નવાબી શાહીનો ખજાનો અને ઠાઠ માઠનો સંગ્રહ તથા ચોમેર ઘુઘવાટ કરતો           મહાસાગર.....

જૂનાગઢ જિલ્લાનો પરિચય : -

            સમગ્ર દેશ ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયો પણ જૂનાગઢ પ્રદેશ પરાધીન હતો. નવાબ મહાબતખાનજી ત્રીજાએ જૂનાગઢનાં પાકિસ્તાન સાથેના જોડાણને સ્વીકારી મુશ્કેલી ઊભી કરી દીધી હતી. નવાબના આ નિર્ણય સામે લોકરોષ ભભૂકી ઊઠયો. તા.૨૫-૯-૧૯૪૭ના દિવસે આરઝી હકૂમતની સ્થાપના માટે ૧૦ સભ્યોની સમિતિ નિમાઇ. હકૂમતના વડા તરીકે આખરે "વંદેમાતરમ્‍' ના તંત્રીશ્રી શામળદાસ ગાંધીના વડપણ હેઠળ સોરઠ પ્રદેશની મુક્તિ માટે આરઝી સેનાની સ્થાપના કરવામાં આવી. આરઝી હકૂમત એ પ્રજાએ સ્થાપેલી સમાંતર સરકાર હતી. લોકો જ જૂનાગઢને મુક્ત કરાવવા કટિબદ્ધ થયા. મુંબઇથી આરઝી હકૂમતનું સૈન્ય રાજકોટ આવી, રાજકોટ ખાતેના જૂનાગઢ હાઉસને કબજે કર્યું. આરઝી પ્રધાન મંડળ સ્થાપવામાં આવ્યું. શ્રી રતુભાઇ અદાણીને જૂનાગઢ મુક્તિ ફોજના સરસેનાપતિ બનાવવામાં આવ્યા. અને જૂનાગઢ શાસન સામે ત્રિપાંખિયો મોરચો શરૂ કર્યો

       આરઝી સેનાએ તા.૨૪-૧૦-૧૯૪૭ના રોજ અમરાપર સહિત કુલ ચાર ગામો કબજે કર્યાં તેની અસરરૂપે જૂનાગઢનાં નવાબ દશેરાના દિવસે કુટુંબ સાથે કરાંચી જતાં રહ્યા. આરઝી સેનાએ ૧૮ દિવસોમાં કુલ ૧૦૬ ગામ કબજે કર્યાં. તા. ૭-૧૧-૧૯૪૭ના રોજ દીવાન શાહનવાઝભુટ્ટોએ હાર્વે જોન્સનને આરઝી હકૂમતના વડાશ્રી શામળદાસ ગાંધી પાસે મોકલી બિનશરતી શરણાગતિ સ્વીકારી. તા. ૮-૧૧-૧૯૪૭ના રોજ ભારત સરકારને વહીવટ સોંપી દેવા જાણ કરી સરકાર વતી રાજકોટ ખાતેના પ્રાદેશિક કમિશનરશ્રી નિલમભાઇ બૂચે જૂનાગઢ આવી તા. ૯-૧૧-૧૯૪૭ના રોજ કબજો સંભાળ્યો.. જૂનાગઢ આઝાદ થયું. ભારતમાં ભળ્યું.

      જુનાગઢમાંથી નવાબી શાસનનો અંત તા.૯/૧૧/૧૯૪૭ ના રોજ આવ્યો. તા.૨૦ જાન્યુઆરી ૧૯૪૯ ના રોજ જુનાગઢ રાજ્યનું સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલિનીકરણ કરવામાં આવ્યું અને જુનાગઢ શહેર સોરઠ જિલ્લાનું મુખ્ય મથક બન્યું. ૧૦ ઓક્ટોબર ૧૯૪૯ ના રોજ બનેસિંહજી ઝાલા સોરઠ જિલ્લાના પ્રથમ કલેક્ટર તરીકે નિયુક્ત થયા ત્યારબાદ ઇ.સ. ૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજ્યુનું મુંબઇ દ્રિભાષી રાજ્યમાં વિલિનીકરણ કરવામાં આવતા સોરઠ જિલ્લો જુનાગઢ જિલ્લાના નામે ઓળખાવા માંડ્યો. તા.૧૫ સપ્ટેમ્બર ૨૦૦૦ના રોજ જુનાગઢ મહાનગર પાલિકાની રચના કરવામા આવી અને ૧૫ જુલાઇ ૨૦૦૪ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી થઇ તેમા ૫૨.૦૪ ટકા મનદાન થયુ અને તેમા ૩૫ બેઠક ભાજપ, ૧૫ બેઠક કોંગ્રેસ અને ૧ બેઠક અપક્ષને માળી હતી. ત્યારબાદ તા. ૩૧ જુલાઇ ૨૦૦૪ના રોજ પ્રથમ મેયર તરીકે મહેન્દ્રભાઇ મશરૂની નિયુક્તિ કરવામાં આવી હતી. તથા પ્રથમ કમિશ્નર તરીકે રોહિતકુમાર પાઠક આવ્યા હતા.

      જુનાગઢ જીલ્લો એ ગુજરાત રાજ્યની પશ્વીમ દીશામા આવેલ જીલ્લો છે. જુનાગઢ જીલ્લાની હદ અરબી સમુદ્ર અને જંગલ વિસ્તારથી ઘેરાયેલી છે.

      જુનાગઢ જીલ્લો નવ તાલુકામા વહેચાયેલો છે. જુનાગઢ જીલ્લો એ ગીર અભ્યારણ્ય કે જ્યા એશીયાનુ એકમાત્ર સીહોનુ અભ્યારણ્ય આવેલ છે અને ગીરનાર પર્વતના કારણે પ્રખ્યાત છે.

 

જૂનાગઢ જિલ્લા હેઠળ પોલીસ સ્ટેશન

  1. જૂનાગઢ એ ડીવીઝન પોલીસસ્‍ટેશન
  2. જૂનાગઢ બી ડીવીઝન પોલીસસ્‍ટેશન
  3. જૂનાગઢ સી ડીવીઝન પોલીસસ્‍ટેશન
  4. જૂનાગઢ તાલુકા પોલીસસ્‍ટેશન
  5. ભવનાથ પોલીસસ્‍ટેશન
  6. બીલખા પોલીસ સ્‍ટેશન
  7. વિસાવદર પોલીસસ્‍ટેશન
  8. મેંદરડા પોલીસસ્‍ટેશન
  9. મહીલા પોલીસ સ્ટેશન
  10. ભેસાણ પોલીસસ્‍ટેશન
  11. વંથલી પોલીસ સ્‍ટેશન
  12. માણાવદર પોલીસસ્‍ટેશન
  13. બાંટવા પોલીસસ્‍ટેશન
  14. કેશોદ પોલીસસ્‍ટેશન
  15. શીલ પોલીસસ્‍ટેશન
  16. માંગરોળ પોલીસ સ્ટેશન
  17. ચોરવાડ પોલીસસ્‍ટેશન
  18. માળિયા હાટીના પોલીસસ્‍ટેશન
  19. માંગરોળ મરીન પોલીસસ્‍ટેશન
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 18-07-2020