પોલીસનો ઇતિહાસ :-
ભારત આઝાદ તા.૧પ/૮/૧૯૪૭ ના રોજ થયેલ, પરંતુ નવાબી શાસનનો અંત જુનાગઢ જિલ્લામા આરજી હકુમતની લડત શામળદાસ ગાંધીના નેજા હેઠળ ચાલેલ. તેમા તા.૯/૧૧/૧૯૪૭ના રોજ જુનાગઢ જિલ્લો આઝાદ થયેલ ત્યારબાદ માનનીય શ્રી ઢેબરભાઈ સૌરાષ્ટ્ર રાજયના મુખ્યમંત્રી હતા. ત્યારે હાલનો જુનાગઢ જિલ્લો સોરઠ જિલ્લા તરીકે ઓળખાતો હતો. જે પોલીસના કાર્ય અને ફરજો માટે રાજકોટ રેન્જ હેઠળ મુકવામાં આવેલ હતો. તે સમયના સોરઠ જિલ્લામાં હાલના પોરબંદર, જુનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લાનો સમાવેશ થતો હતો જેની ડી.એસ.પી. સોરઠ તરીકેની ઓળખ હતી. જે સને ૧૯પ૬ સુધી વહીવટ ચાલેલો તે બાદ સને ૧૯પ૭ થી બોમ્બે સ્ટેટ હેઠળ પોલીસના કાર્યો તથા ફરજો શરૂ થયેલ અને ગુજરાત રાજય બોમ્બે રાજયથી જુદુ સ્ટેટ તા.૧/પ/૧૯૬૦ થી થતા હવે ગુજરાત રાજય હેઠળ પોલીસ કાર્યો અને ફરજો બજાવવામા આવે છે. જે આગળ જતા સોરઠ માંથી જુનાગઢ જિલ્લા તરીકે ઓળખાવા લાગ્યો તથા ડી.એસ.પી. જુનાગઢ તરીકેની ઓળખ બની.
ત્યારબાદ ઓક્ટોબર ૧૯૯૭માં પોરબંદર જુનાગઢ જિલ્લામાંથી અલગ પડી સ્વત્રંત જિલ્લા તરીકે અસ્તિત્વમા આવ્યો. તેમજ જુનાગઢ રેન્જમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ પોરબંદર જિલ્લાઓ પોલીસની ફરજો બજાવતા. ત્યારબાદ તા.૧૪/૦૮/૨૦૧૩ના રોજ ગીર-સોમનાથ જુનાગઢ જિલ્લામાંથી અલગ પડી સ્વત્રંત જિલ્લા તરીકે અસ્તિત્વમા આવ્યો તથા જુનાગઢ રેન્જમાં જુનાગઢ, ગીર-સોમનાથ તેમજ પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. અને અમરેલી જિલ્લાનો જુનાગઢ રેન્જમાંથી અલગ થઇ નવી બનેલ ભાવનગર રેન્જમાં સમાવેશ થયો. આમ જુનાગઢ જિલ્લા પોલીસનો ઇતિહાસ વૈવિધ્ય પુર્ણ તેમજ રસપ્રદ છે.
જૂનાગઢ જિલ્લા હેઠળ પોલીસ સ્ટેશન
- જૂનાગઢ એ ડીવીઝન પોલીસસ્ટેશન
- જૂનાગઢ બી ડીવીઝન પોલીસસ્ટેશન
- જૂનાગઢ સી ડીવીઝન પોલીસસ્ટેશન
- જૂનાગઢ તાલુકા પોલીસસ્ટેશન
- ભવનાથ પોલીસસ્ટેશન
- બીલખા પોલીસ સ્ટેશન
- વિસાવદર પોલીસસ્ટેશન
- મેંદરડા પોલીસસ્ટેશન
- મહીલા પોલીસ સ્ટેશન
- ભેસાણ પોલીસસ્ટેશન
- વંથલી પોલીસ સ્ટેશન
- માણાવદર પોલીસસ્ટેશન
- બાંટવા પોલીસસ્ટેશન
- કેશોદ પોલીસસ્ટેશન
- શીલ પોલીસસ્ટેશન
- માંગરોળ પોલીસ સ્ટેશન
- ચોરવાડ પોલીસસ્ટેશન
- માળિયા હાટીના પોલીસસ્ટેશન
- માંગરોળ મરીન પોલીસસ્ટેશન
ગુજરાત રાજય સને ૧/પ/૧૯૬૦નાં રોજ જાહેર થતાં ઉપર મુજબની વ્યવસ્થા અને પોલીસ કાર્યો અને ફરજો ચાલુ રહેવા પામેલ છે.
માહે ઓક્ટોબર ૧૯૯૭ થી પોરબંદર જિલ્લાનું જૂનાગઢ જિલ્લામાંથી અલગ વિભાજન થતાં પોરબંદર જિલ્લો સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવેલ છે.
માહે ઓગસ્ટ ૨૦૧૩થી ગીર-સોમનાથ જિલ્લાનું જૂનાગઢ જિલ્લામાંથી અલગ વિભાજન થતાં ગીર-સોમનાથ જિલ્લો સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવેલ છે.
જૂનાગઢ જીલ્લામાં જોવાલાયક સ્થળો:
(૧) ગુજરાતમા સૌથી ઉંચો પર્વત ગીરનાર પર્વત
(૨) જૈન દેરાસરો
(૩) ગૌમુખી ગંગા
(૪) અંબાજી માતાનુ મંદિર
(૫) દામોદરકુંડ
(૬) રાજા અશોકનો પ્રખ્યાત શિલાલેખ
(૭) વિલીંગ્ડન ડેમ
(૮) સુપ્રસિઘ્ધ ભગત કવી નરસિંહ મહેતાનુ સ્થાન રાસ ચોરો
(૯) સકકરબાગ
(૧૦) જૂનાગઢ મ્યુઝીયમ
(૧૧) ઉપરકોટ
(૧૨) વિસાવદર :- સતાધાર, કનકાઈ
(૧૩) ભેસાણ :- પરબ વાવડી.
(૧૪) વંથલી :- વામનરાય મંદિર, ખોરાસા (આહીરના) તિરુપતિ મંદિર
(૧૫) કેશોદ :- કલીમલ બાપુનો આશ્રમ, અક્ષયગઢ
(૧૬) ચોરવાડ:- હોલીડે કેમ્પ
હોદ્દાઓ
(૧) એસ.પી.
(ર) ડી.વાય.એસ.પી.
(૩) પોલીસ ઇન્સ્પેકટર
(૪) પોલીસ સબ ઇન્સ્પેકટર
(પ) આસી.સબ ઇન્સ્પેકટર
(૬) પોલીસ હેઙ કોન્સ્ટેબલ
(૭) પોલીસ કોન્સ્ટેબલ
તરીકેના હતા, બાદ પોલીસ જગ્યામાં બિન હથિયારી હેડ.કોન્સ. અને હથિયારી હેડ.કોન્સ., બિન હથિયારી પોલીસ અને હથિયારી પોલીસના હોદાઓ સૌરાષ્ટ્ર રાજયમાં આપવામા આવેલા, જે અત્યાર સુધી ચાલુ છે.
ભારત આઝાદ તા. ૧પ/૮/૧૯૪૭ ના રોજ થયેલ પણ નવાબી શાસનના અંત જૂનાગઢ જિલ્લામાં આરજિ હકૂમતની લડત શામળદાસ ગાંધીના નેજા હેઠળ ચાલેલ તેમાં તા. ૯/૧૧/૧૯૪૭ ના રોજ આઝાદ જૂનાગઢ જિલ્લો થયેલ. આ બાદ માનનીય શ્રી ઢેબરભાઈ મુખ્ય મંત્રી સૌરાષ્ટ્ર રાજયના થતાં તે સૌરાષ્ટ્ર સ્ટેટ હેઠળ રાજકોટ રેન્જમાં મુદા નં.- ના જિલ્લાઓ પોલીસનાં કાર્ય અને ફરજોમાં સોરઠ જિલ્લો આવેલ હતો. જે સને ૧૯પ૬ સુધી વહીવટ ચાલેલો તે બાદ સને ૧૯પ૭થી બોમ્બે સ્ટેટ હેઠળ પોલીસનાં કાર્યો તથા ફરજો શરૂ થયેલ અને ગુજરાત રાજય બોમ્બે રાજ્યથી જુદું સ્ટેટ તા. ૧/પ/૧૯૬૦ થી થતાં હવે ગુજરાત રાજ્ય હેઠળ પોલીસ કાર્યો અને ફરજો બજાવવામાં આવે છે.