અનુસુચીત જાતી / અનુસુચીત જન જાતી માટે કાયદાની ખાસ જોગવાઈઓ
સમાજમા દલીતો અને અનુસુચીત જનજાતીના લોકો ઉપર અત્યાચાર ન થાય અને અસ્પળશ્યતા કોઈ પણ રુપમા આચારવામા ન આવે તે હેતુથી બંધારણમા તેમજ જુદા- જુદા કાયદાઓમા આકરી જોગવાઈ કરેલ છે. ગુજરાત સરકારે અનુ જાતી / જનજાતીના પ્રશ્નો , અરજીઓ અને ફરીયાદીની તપાસ માટે ખાસ નાયબ પોલીસ અધિક્ષકની જગ્યા ઉભી કરી છે. જુનાગઢ જિલ્લા માટે એસ.સી./એસ.ટી નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી. સેલ મા ફરજ બજાવે છે. એમનો આપ ગમે ત્યારે સંપર્ક સાધી શકો છો.
ભારતનુ સંવીધાનઃ-
ભારતના બંધારણમા દરેક નાગરીકોને સમાનતાનો અધિકાર મેળવે છે. અનુછેદ ૧પ અને ૧૬ મુજબ કોઈપણ નાગરીક સામે જ્ઞાતિના આધારે ભેદભાવ કરી શકાશે નહી
અનુછેદ -૧૭
અશ્પૃશ્યતા નાબુદ કરવામા આવે છે. અને કોઈપણ રૂપમા એના આચરણની મનાઈ કરવામા આવે છે. અશ્પળશ્યતામાથી ઉદભવતી કોઈની યોગ્યતા લાગુ પાડવી તે કાયદા અનુસાર શિક્ષાપાત્ર ગુન્હો ગણાશે
નાગરીક હક્ક રક્ષણ અધિનિયમ ( ૧૯પપ)
અશ્પૃશ્યતા ( ગુન્હા ) ધારો, ૧૯પપ ના કાયદામા ૧૯૭૬ મા સુધારો કરવામા આવેલ અને તેનુ નવુ નામ નાગરીક હક્ક રક્ષણ અધિનિયમ રાખેલ છે.
અશ્પૃશ્યતાના આચરણ અને ઉપદેશ માટે અને તેમાથી ( સામાજીક - ધાર્મીક) પાંગુપણુ ઉભુ થાય છે. તેને અમલમા મુકનારને શિક્ષા ઠરાવવા બાબતનો કાયદો છે. સીવીલ રાઈટસ ( નાગરીક હક્કો ) એટલે બંધારણના આર્ટીકલ -૧૭ અન્વયે અશ્પૃશ્યતા નાબુદીના કારણે વ્યકિતને ઉપલબ્ધ થાય છે. તે કોઈપણ હક્ક તરીકે જણાવવામા આવે છે. આ કાયદા નાગરીક હક્કોની અવહેલના માટે આકરી શિક્ષાની જોગવાઈ છે.
નાગરીક હક્ક રક્ષણ અધિનિયમ ૧૯પપ ની ખાસ જોગવાઈઓ પરિશિષ્ટમા સામેલ છે.
અનુસુચીત જાતી / અનુજનજાતી અને અનુ આદીજાતી ( અત્યાચાર થતા અટકાવવા ) બાબતોનો અધિનિયમ ૧૯૮૯
આ અધિનિયમ અનુજાતી / અનુ આદીજાતીના લોકો ઉપર અત્યાચારોના ગુન્હાઓ થતા અટકાવવા એવા ગુન્હાઓની ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે ખાસ ન્યાયાલયો માટેની જોગવાઈઓ કરવા અને આવા ગુન્હાઓનો ભોગ બનનારાઓની પુનઃ સ્થાપના અને રાહત માટે અને તેની સાથે સંકળાયેલી અથવા તેની આનુસંગીક બાબતો માટે છે.
કલમ -૩ (૧) અને ૩(ર) મા અત્યાચારના ગુન્હા માટે શિક્ષાની જોગવાઈઓ કરેલ છે. આનો ઉલેખ પરિશિષ્ટમા સામેલ છે.
આ કાયદા હેઠળના ગુન્હાની તપાસ નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારી કરી શકે છે. આવા કાયદા હેઠળ આરોપીને આગોતરા જામીન પણ નથી મળી શકતા