પોલીસ અધિક્ષક, જુનાગઢ
http://www.spjunagadh.gujarat.gov.in

પ્રસ્તાવના

6/30/2025 2:10:41 PM

 

પ્રસ્‍તાવના

 

            ભારત લોકશાહી પઘ્ધતિથી ચાલતો દેશ છે. લોકશાહી પઘ્ધતિમા રાજયના વહીવટમા નાગરીક સર્વોપરી છે. દેશના નાગરીકો માટે વહીવટ માળખુ ધડી કાઢવામા આવ્યુ હોય છે. નાગરીકો માટે કરવાની કામગીરી તંત્ર દ્વારા સમયસર તટસ્થ રીતે ન્યાયપુર્ણ રીતે થાય તે વહીવટ તંત્રની ફરજ છે.


            નાગરીકના અધિકારો બાબતે નાગરીક સભાન બને અને પોતાના "" પ્રશ્નોની રજુઆત યોગ્ય રીતે કરી તે પ્રશ્નનો જોગવાઈ મુજબ સરળતાથી સમય મર્યાદામા નીકાલ થાય છે. કે કેમ? જો નિકાલ ન થાય તો તે અંગે પોતાના પ્રશ્નોની રજુઆત કેવી રીતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કરવી. એટલી સમજણ આપવાનો હેતુ આ નાગરીક અધિકારપત્રનો છે.



            પોલીસ ખાતા સાથે કોઈ પણ સંપર્કમા આવતા પ્રજાજનો પોલીસ ખાતા પાસે કેવી અને કઈ સેવાની અપેક્ષા રાખી શકે કોના પાસેથી કેવી રીતે આ સેવા કેટલા સમયમા મેળવી શકે અને નિયત સમય મર્યાદામા સંતોષજનક રીતે અપેક્ષીત સેવા ન મળે તો કયા અધિકારીનો સંપર્ક કરવો ફરીયાદ કે રજુઆત અંગે તપાસ કામગીરી ચાલુ હોય ફરીયાદ કે રજુઆત અંગે તપાસ કામગીરી ચાલુ હોય તો સમયાંતરે પ્રગતિની જાણ કયાથી કેવી રીતે મળી શકે તેની જાણકારી આપવા માટે આ નાગરીક અધિકારપત્ર જાહેર કરવામા આવી રહયુ છે.



            નાગરીકોના અધિકારો બંધારણમા નિશ્ચીત કરવામા આવ્યા છે. તેની સાથે - સાથે નાગરીકોની શુ ફરજો છે. અને આ ફરજોના અમલ કરનાર દરેક નાગરીક પોલીસ પાસેથી નૈતિક અધિકારની રુએ સેવાઓ મેળવે અને પરસ્પર વિશ્વાસની ભાવનાઓ કેળવવામા પણ આ નાગરીક અધિકારપત્ર પણ મદદરૂપ બનશે. તેવી આશા અને વિશ્વાસ સહ ................